કેવું કેવું ઝીલનારા – અંકિત ત્રિવેદી
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:નયનેશ જાની
સ્વર:ધનાશ્રી પંડિત
સ્વરકાર:નયનેશ જાની
સ્વર:ધનાશ્રી પંડિત
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કેવું કેવું ઝીલનારા થઈ ગયા,
જાતને ઘોળી પીનારા થઈ ગયા.
એમની સંગતનો જાદુ ઓસર્યો,
દોસ્ત પણ કેવાં બિચારા થઈ ગયા.
આપણે કેવું વહ્યાં કે શું કહું?
પાણીની વચ્ચે કિનારા થઈ ગયા.
તે સભાનો રંગ કંઈ જુદો હતો,
ચુપ હતાં તો પણ દુબારા થઈ ગયા.
સુંદર કંઠ….
“પાણીની વચ્ચે કિનારા થઈ ગયા”
દ્વારા ઘણું કહેવાય ગયું છે, સરસ ગાયકી, ગાયક અને કવિશ્રીને અભિનદન, આપનો આભાર …………………
અંકીતભાઈ કોણ કહેછે ગુજરાતી ગઝલ કવિ વાંચકને મદહોશ ના બનાવે.તમારી એક એક રચના
ગુજરાતી ને માટે કાવ્યાસ્વાદ નો રસથાળ છે અને તમને રૂબરૂ સંભાળવા એ જીવન નો લ્હાવો છે.
Dhanashriji,
I just listened to your two of the gazals. You voice and the lyrics were absorbing. It was wonderful.
Thanks,
virbala
Really very nice gazal and mam your voice is morvelouse…. mam really i dont have any words to express….. when i heard this gazal i had tears in my eyes… thanks mam…
from : Dhara
ઘણુંજ meaningful .
એક્સસલેન્ટ કાવ્ય રચના…..! ચૂપ હતા, તો પણ દોબારા થયી ગયા ! ક્યાં બાત !