Home > અજ્ઞાત, ગઝલ, મનહર ઉધાસ > પ્રણય પંથે જનારો…

પ્રણય પંથે જનારો…

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રણય પંથે જનારો સિદ્ધિની પરવા નથી કરતો,
ફના થઈ જાય છે કિંતું કદમ પાછા નથી ભરતો.

સમયની બેવફાઈ પર ભરોસો આવશે ક્યાથી,
જીવનમાંથી ગયેલો શ્વાસ જ્યાં પાછો નથી ફરતો.

નથી મંજૂર કે મુજ પ્રેમનું અપમાન થઈ જાયે,
કરું છું યાદ તુજને પણ કદી આહો નથી ભરતો.

હજારો દીપ છે આશાનાં એ અંધકારને માટે,
નિરાશા લાખ આવે હું નિરાશાથી નથી ડરતો.

ઉષા છે રજની મારી જિંદગીની ચાંદની જેવી,
મરણ અંધકાર લઈ આવે તો હું પરવા નથી કરતો.

Please follow and like us:
Pin Share
  1. ચાંદસૂરજ
    May 27th, 2008 at 10:17 | #1

    કંઈ લાખો નિરાશામા પણ અમર આશા છૂપાઈ છે.’રજની’ને પણ કંકૂવર્ણા બાજોઠે બિરાજવાનો સુઅવસર સાંપડે.

  2. pragnaju
    May 29th, 2008 at 22:35 | #2

    મનહરનાં સ્વરની મધુર ગાયકી
    હજારો દીપ છે આશાનાં એ અંધકારને માટે,
    નિરાશા લાખ આવે હું નિરાશાથી નથી ડરતો.
    ઉષા છે રજની મારી જિંદગીની ચાંદની જેવી,
    મરણ અંધકાર લઈ આવે તો હું પરવા નથી કરતો.
    કેવા સુદર શબ્દો!

  1. No trackbacks yet.