કો’ક દિ ફુરસદ મળે તો…
સ્વર: મનહર ઉધાસ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
“જીવનમાં જ એની કબર થઈ ગઈ છે,
છું મારવાનો એવી ખબર થઈ ગઈ છે.
નથી શક્ય રજનીનું મળવું ઉષાથી?
સલામ આખરી કે સફર થઈ ગઈ છે.”
કો’ક દિ ફુરસદ મળે તો લે ખબર,
દિલ ઉપર વીતે છે શું તારા વગર?
પાનખરમાં પણ બહાર આવી ગઈ,
પ્રેમગીતોની અનોખી છે અસર.
આંખમાં તુજ યાદના આંસુ ન હો,
એક પળ વીતી નથી એવી પ્રહર.
એજ છે ‘રજની’ દીવાનો જોઈ લો,
ગાય છે જે ગીત ઉષાનાં દરબદર.
VERY INTERESTING…
સ્રરસ ગઝલ અને સરસ ગાયકી, આભાર…………….
કોક દી ફુરસદ મળે તો લે ખબર ના શાયેર છે રજની પાલનપુરી
આ શાયરી નાં રચયિતા રજની પાલનપુરી છે