Home > ગીત, નિશા ઉપાધ્યાય, રમણભાઈ પટેલ > મારે કોને જઈને કહેવું? – રમણભાઈ પટેલ

મારે કોને જઈને કહેવું? – રમણભાઈ પટેલ

September 22nd, 2008 Leave a comment Go to comments

સ્વર: નિશા ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારે કોને જઈને કહેવું?
હે સખી મારે તે શું હવે કહેવું?

કોઈ સ્વપ્નનાં ભેદ ખૂલ્યા ત્યાં,
રણઝણી બંસરી મીઠી;
પીયુ દર્શનની પળ આવી ત્યાં,
વિદાય એની દીઠી.
એનું મનહર રૂપ કેવું?
હે સખી મારે તે શું હવે કહેવું?

સ્નેહ તણી સરિતાને કાંઠે,
રૂપ દીઠું છલકાતાં;
સ્મરણોથી ભીજાંયું અંતર,
તોય ના ઉર શાતા.
મારે પળપળ બળતા રહેવું.
હે સખી મારે તે શું હવે કહેવું?

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    September 22nd, 2008 at 15:06 | #1

    રમણભાઈની સરસ રચના :
    નિશાના સ્વરમા મધુર લાગે છે….

  2. September 22nd, 2008 at 18:03 | #2

    ખુબ સરસ શબ્દો ,સ્વર અને સંગીત … !!

  3. Aviskar
    September 23rd, 2008 at 08:01 | #3

    પ્લેયર પર ક્લિક કરવાથિ અવાજ સમભદાતો નથિ.

  4. Ila
    September 24th, 2008 at 14:46 | #4

    અવાજ સમ્ભલાતો નથી.

  1. No trackbacks yet.