Home > કૈલાસ પંડિત, ગઝલ, ચંદ્રકાન્ત સુમન, મનહર ઉધાસ > કાં પધારી એ રહ્યાં છે – ચંદ્રકાન્ત સુમન

કાં પધારી એ રહ્યાં છે – ચંદ્રકાન્ત સુમન

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતાં
એજ મળવાને મને આવ્યા હશે.
મેં પછી સમજાવતા મુજને કહ્યું
આટલી રાતે તો એ હોતા હશે?”
– કૈલાસ પંડિત

કાં પધારી એ રહ્યાં છે મેં પુકાર્યા તો નથી,
ખુદબખુદ માની ગયા છે મેં મનાવ્યા તો નથી.

દ્વાર પર આવીને મારે છે ટકોરો કોઈ,
અંધ કિસ્મત તું જરા જો એ પધાર્યા તો નથી?

ના ઘટા છાઈ શકે આવી કદી વૈશાખે,
એમણે મારા પ્રણયપત્રો જલાવ્યા તો નથી?

કેમ ખારાશ છે આવી એ સમંદરના જળે,
આંખ બે આસું કિનારે તેં બહાવ્યા તો નથી?

કેદ લાગે છે જીવન એણે નજર દીધાં પછી,
એમણે અમને જીગર માંહે વસાવ્યા તો નથી?

Please follow and like us:
Pin Share
  1. POOJA PATEL
    April 2nd, 2009 at 05:19 | #1

    THANK YOU NEERAJ BHAI THANK U SO MUCH

  2. April 2nd, 2009 at 13:56 | #2

    કેમ ખારાશ છે આવી એ સમંદરના જળે,
    આંખ બે આસું કિનારે તેં બહાવ્યા તો નથી?

    સરસ.

  3. rajendrasinh jadeja
    May 8th, 2009 at 15:27 | #3

    i have heard almost gazals sing by manharbhai
    but not this thanks to RANKAR

  1. No trackbacks yet.