મન માને તબ આજ્યો – ઉશનસ્

આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અશ્વૈર્યા મજમુદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


મન માને તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.

આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહી રોકાશે?
લ્યો ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે.

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે તેડો,
કોઈ દન અહીં થઈ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો,
બે ઘડી રોકાઈ જાજ્યો રે.

મૂકી ગયા જે પગલાં,
તેની ધડાકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક,
અમો તો હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે.

Please follow and like us:
Pin Share