દુઃખી થવાને માટે – જલન માતરી
સ્વર: મનહર ઉધાસ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
“કાપી કાપી એનાં કટકાઓ કરી નાખે સ્વજન,
કોઈપણનાં શીશ પટકીને કરે કાતિલ રૂદન,
આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે શું કહું?
લાશ જો સોનું બની જાયે તો ના પામે કફન.”
દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતમાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે.
ખુબ જ સુન્દર…
વાહ્….!!
આ રચના સ્વરબદ્ધ છે તે ન’તી ખબર ,
સુંદર………!!
પૂ.મોરારી બાપુની કથામાં જલનની રચનાનો ઉલ્લેખ હોય જ !
દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.
વાહ્ માણવાની મઝા આવી.
સુંદર રચના અને મનહરજી ના મધુર સ્વરમો…..હકીકત મો કળિયુગ પ્રભુ નહિ આવે …..