મનવો હુઓ રે બૈરાગી – દાસી જીવણ
September 10th, 2008
8 comments
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય
મૈયા મારો મનવો હુઓ રે બૈરાગી,
મારી લય તો ભજનમાં લાગી રે.
સંસાર ને સાર સર્વે વિસરીયો,
બેઠો રે સંસારીયો ત્યાગી રે.
મનવો હુઓ રે બૈરાગી..
કામને કાજનું એ કાઢવા રે લાગે,
મનડાની મમતા જાગી રે.
મનવો હુઓ રે બૈરાગી..
મંત્ર સજીવન શ્રવણે સાંભળીયો રે,
મુરલી મધુરી ધૂન લાગી રે.
મનવો હુઓ રે બૈરાગી..
રાજ મોરાર ને રવિ ગુરૂ મળીયા,
ભક્તિ ચરણની માગી રે.
મનવો હુઓ રે બૈરાગી..









