આલ્બમ: સમન્વય ૨૦૦૬
સ્વર: આલાપ દેસાઈ
0:00 / 0:00
ઉંબર ને બારણા ને કે ના ટોડલાને પૂછ,
ઘરમાં ઉદાસી કેમ છે ખાલીપણા ને પૂછ.
રણ તો કહેશે કેટલાં હરણાં ઢળી પડ્યાં,
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવા ને પૂછ.
ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું,
પંખી હતું કે પૂર હતું એ પાંદડાને પૂછ.