કાં પધારી એ રહ્યાં છે – ચંદ્રકાન્ત સુમન
સ્વર: મનહર ઉધાસ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
“દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતાં
એજ મળવાને મને આવ્યા હશે.
મેં પછી સમજાવતા મુજને કહ્યું
આટલી રાતે તો એ હોતા હશે?”
– કૈલાસ પંડિત
કાં પધારી એ રહ્યાં છે મેં પુકાર્યા તો નથી,
ખુદબખુદ માની ગયા છે મેં મનાવ્યા તો નથી.
દ્વાર પર આવીને મારે છે ટકોરો કોઈ,
અંધ કિસ્મત તું જરા જો એ પધાર્યા તો નથી?
ના ઘટા છાઈ શકે આવી કદી વૈશાખે,
એમણે મારા પ્રણયપત્રો જલાવ્યા તો નથી?
કેમ ખારાશ છે આવી એ સમંદરના જળે,
આંખ બે આસું કિનારે તેં બહાવ્યા તો નથી?
કેદ લાગે છે જીવન એણે નજર દીધાં પછી,
એમણે અમને જીગર માંહે વસાવ્યા તો નથી?
THANK YOU NEERAJ BHAI THANK U SO MUCH
કેમ ખારાશ છે આવી એ સમંદરના જળે,
આંખ બે આસું કિનારે તેં બહાવ્યા તો નથી?
સરસ.
i have heard almost gazals sing by manharbhai
but not this thanks to RANKAR