Home > આશિત દેસાઈ, આશિત દેસાઈ, ગઝલ, મનોજ ખંડેરીયા, સમન્વય ૨૦૦૯ > પૂછ એને કે જે શતાયુ છે – મનોજ ખંડેરિયા

પૂછ એને કે જે શતાયુ છે – મનોજ ખંડેરિયા

આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:આશિત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આજે પ્રસ્તુત છે મારા પ્રિય કવિની મારી ખુબ જ ગમતી ગઝલ. આ ગીત સમન્વય ૨૦૦૯ કાર્યક્રમમાંથી લાઈવ રેકોર્ડીંગ છે. ગઝલની સાથે સાથે આશિત દેસાઈનો આસ્વાદ સંભાળવાની પણ મજા છે. આ ગઝલનો ગુંજનભાઈનો આસ્વાદ પણ માણવા જેવો છે.

“જો સુખી થઈ જવું હો તારે તો
જે થતા તે સવાલ ભૂલી જા;
મૌન રહી મિત્રતાનું ગૌરવ કર,
કોને ચાલી તી ચાલ ભૂલી જા.
કે રસ તારે નીરખવો હોય ખરો,
હાથ સળગ્યો કે મશાલ ભૂલી જા.”

પૂછ એને કે જે શતાયુ છે,
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે.

શ્રી સવા બારણે લખ્યા કર તું,
શબ્દથી બીજું શું સવાયું છે.

આંખમાં કીકી જેમ સાચવ તું,
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે.

આપનો દેશ છે દશાનન નો ,
આપણો માંહ્યલો જટાયુ છે.

તારે કાજે ગઝલ મનોરંજન,
ને મારે માટે તો પ્રાણવાયુ છે.

Please follow and like us:
Pin Share
  1. April 2nd, 2010 at 06:49 | #1

    વાહ… મજા આવી ગઈ… સુંદર ગાયકી…

  2. sudhir patel
    April 3rd, 2010 at 03:50 | #2

    મારા પણ પ્રિય ગઝલકારની ખુબ સુંદર ગઝલ! એવી જ મસ્ત ગાયકી ! આભાર.
    સુધીર પટેલ.

  3. Dr. Vipul Vaishnav
    April 11th, 2010 at 14:12 | #3

    ખૂબ સરસ છે. મજા પડી. વિપુલ vaishnav

  4. રાયશીભાઈ ગડા
    August 27th, 2017 at 12:11 | #4

    ખુબ સરસ આભાર

  1. No trackbacks yet.