પૂછ એને કે જે શતાયુ છે – મનોજ ખંડેરિયા
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:આશિત દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આજે પ્રસ્તુત છે મારા પ્રિય કવિની મારી ખુબ જ ગમતી ગઝલ. આ ગીત સમન્વય ૨૦૦૯ કાર્યક્રમમાંથી લાઈવ રેકોર્ડીંગ છે. ગઝલની સાથે સાથે આશિત દેસાઈનો આસ્વાદ સંભાળવાની પણ મજા છે. આ ગઝલનો ગુંજનભાઈનો આસ્વાદ પણ માણવા જેવો છે.
“જો સુખી થઈ જવું હો તારે તો
જે થતા તે સવાલ ભૂલી જા;
મૌન રહી મિત્રતાનું ગૌરવ કર,
કોને ચાલી તી ચાલ ભૂલી જા.
કે રસ તારે નીરખવો હોય ખરો,
હાથ સળગ્યો કે મશાલ ભૂલી જા.”
પૂછ એને કે જે શતાયુ છે,
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે.
શ્રી સવા બારણે લખ્યા કર તું,
શબ્દથી બીજું શું સવાયું છે.
આંખમાં કીકી જેમ સાચવ તું,
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે.
આપનો દેશ છે દશાનન નો ,
આપણો માંહ્યલો જટાયુ છે.
તારે કાજે ગઝલ મનોરંજન,
ને મારે માટે તો પ્રાણવાયુ છે.
વાહ… મજા આવી ગઈ… સુંદર ગાયકી…
મારા પણ પ્રિય ગઝલકારની ખુબ સુંદર ગઝલ! એવી જ મસ્ત ગાયકી ! આભાર.
સુધીર પટેલ.
ખૂબ સરસ છે. મજા પડી. વિપુલ vaishnav
ખુબ સરસ આભાર