Home > કૈલાસ પંડિત, ગઝલ > ટેરવાં – કૈલાસ પંડિત

ટેરવાં – કૈલાસ પંડિત

March 26th, 2008 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“થઈ શકે તો બસ ઉથલપાથલ કરો,
વનને વસ્તી શહેરને જંગલ કરો;
હો શીદને પત્થર ઉપાડો છો તમે,
પાંપણો ઉંચકો અને ઘાયલ કરો.”

“જ્યાં નિરંતર કોઈનો પગરવ હશે,
ત્યાં પ્રતીક્ષાનો સતત ઉત્સવ હશે.”

લાગણીની વ્યગ્રતા છે ટેરવાં.
બંધ દ્વારોની વ્યથા છે ટેરવાં.

શક્યતા સબંધની એમાં હશે,
એક બારીની જગા છે ટેરવાં.

આંખમાં ભીનાશ જે ઉભરી હતી,
એ બધી યે પી ગયાં છે ટેરવાં.

ભેદ જ્યાં જાણ્યો હથેળીનો પછી,
સાવ મુંગા થઈ ગયાં છે ટેરવાં.

Please follow and like us:
Pin Share
  1. March 26th, 2008 at 10:32 | #1

    એક્દમ સરસ ……! લાગણી ની વ્યગ્રતા ટેરવા….

  2. pragnaju
    March 26th, 2008 at 15:15 | #2

    આઁઆંખ મીંચી બે વાર આ મધુર ગઝલ માણી-
    ગણગણાવી
    ભેદ જ્યાંં જાણ્યો હથેલીનો પછી
    સાવ મુંગા થઈ ગયા છે ટેરવા!
    ગદગદ થઈ જવાયું

  3. સુરેશ જાની
    March 26th, 2008 at 16:08 | #3

    આ વળી કયા આલ્બમમાંથી લઈ આવ્યો? બહુ જ ગમી ગઈ.
    છેલ્લા શેરમાં સમજણ ન પડી.

    બંધ દ્વારોની વ્યથા … હોવું જોઈએ. વ્યાથા નહીં.

  4. March 27th, 2008 at 06:18 | #4

    ખૂબ જ સરસ……. !!

    very nice words……… !!

  5. March 28th, 2008 at 04:27 | #5

    શક્યતા સંબંધનીી એમાં હશે
    એક બારી ની જગા છે ટેરવા

    ખુબ જ સરસ

  1. No trackbacks yet.