પૂનમને કહેજો કે – નિરંજન ભગત
સ્વરાંકન/સ્વર: કૃષાનુ મજમુદાર
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પૂનમ ને કહેજો કે પાછી ન જાય,
ઉગી ઉગી ને આમ આછી ન થાય.
આંખોનાં અજવાળા ઘેરી ઘૂમટે
ઝૂકેલી વિજને ઝરુખડે,
ઉઘાડે છોગ આજે છલકંતા ઉમટે
રૂપનાં અંબાર એને મુખડે.
સોળ કળાએ એની પ્રગટી છે કાય,
પૂનમને કહેજો કે પાછી ન જાય.
માને ના એક મારી આટલી વાતને
તોય ભલે આજે તો નીતરે,
આવતી અમાસની અંધારી રાતને
ચંદન ચારેકોર ચીતરે.
આંખડીને એવા અજવાળી અપાય
ઉગી ઉગીને ભલે આછી તો થાય,
પણ પૂનમને કહેજો કે પાછી ન જાય.
સુંદર રચના…
અમાસ જ્યારે સમીપ હોય ત્યારે પૂનમ ના અજ્વાશ પીવા કોને ન ગમે?
નિરજભાઇ ગીત સાંભળી શકાતું નથી.’File not found’ એવો મેસેજ આવે છે.
amaas ni raatre punam to sole kala e sampurna hoi chhe
kone jovo na game…….samudra ni ot pan punam paraj
nirbhar hoi chhe…..
Ati sundar. Thanks for this Ghazal.
બહુજ સુંદર રચના છે. શબ્દો બહુ રસીક અને નવીનતા ભર્યા છે.
એકદમ સુંદર સ્વર શબ્દ નો સુમેળ …!!
પૂનમને કહેજો આમ પાછી ન જાય ,
ઉગી ઉગીને આમ આછી ન થાય.
મુખડામાં આ વાત કહીને ભગતસાહેબ છેલ્લા અંતરામાં સોળે કળાએ પ્રગટેલી પૂનમને નીતરી જઈ આંખોમાં અજવાળાં ભરી જવા કહે છે. જે જવાની જ છે તેને આ રીતે કહે છે કે ઉગી ઉગીને ભલે આછી તો થાય,
પણ પૂનમને કહેજો કે પાછી ન જાય, અંતરમાં અજવાસના સાતત્યની ઈચ્છા દ્વારા કવિકર્મ સિદ્ધ થયું છે. .
Rachna sundar, Nayan Pancholi also did very good swar rachana on this Kavita.
ખુબ સરસ લખ્યુ છે. પુનમને કહેજો કે પાછી ના……………………………