Home > કૃષ્ણગીત, મીરાંબાઈ > મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે – મીરાંબાઈ

મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે – મીરાંબાઈ

September 26th, 2007 Leave a comment Go to comments

મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે,
મને જશોદાના લાલની મોરલી ગમે,
રાત-દિવસ મારા મનમાં વસી,
રાત-દિવસ મારા દિલમાં વસી,
મને કૃષ્ણ કનૈયાની…

વા’લા વનમાં તેં મોરલી વગાડી હતી,
તમે સુતી ગોપીને જગાડી હતી,
મને કૃષ્ણ કનૈયાની…

વા’લા મોરલીમાં આવું શું જાદુ કર્યું,
તમે સારું ગોકુળીયું ઘેલું કર્યું,
મને કૃષ્ણ કનૈયાની…

મીરાં મસ્ત બની છે સાધુ-સંતમાં રે,
એતો વહી ગઈ રણછોડજીનાં અંગમાં રે,
મને કૃષ્ણ કનૈયાની…

Related posts:

  1. nisha patel
    August 20th, 2009 at 15:09 | #1

    jai shree krishna,

    i have enjoyed listning to this song..many krihan kaniya ni..
    its really very nice and sung very well as well.

    ALL THE BEST
    NISHA PATEL
    [LONDON

  1. No trackbacks yet.