કેવું કેવું ઝીલનારા – અંકિત ત્રિવેદી
સ્વરાંકન: નયનેશ જાની
સ્વર: ધનાશ્રી પંડિત
કેવું કેવું ઝીલનારા થઈ ગયા,
જાતને ઘોળી પીનારા થઈ ગયા.
એમની સંગતનો જાદુ ઓસર્યો,
દોસ્ત પણ કેવાં બિચારા થઈ ગયા.
આપણે કેવું વહ્યાં કે શું કહું?
પાણીની વચ્ચે કિનારા થઈ ગયા.
તે સભાનો રંગ કંઈ જુદો હતો,
ચુપ હતાં તો પણ દુબારા થઈ ગયા.
Related posts:









સુંદર કંઠ….
“પાણીની વચ્ચે કિનારા થઈ ગયા”
દ્વારા ઘણું કહેવાય ગયું છે, સરસ ગાયકી, ગાયક અને કવિશ્રીને અભિનદન, આપનો આભાર …………………
અંકીતભાઈ કોણ કહેછે ગુજરાતી ગઝલ કવિ વાંચકને મદહોશ ના બનાવે.તમારી એક એક રચના
ગુજરાતી ને માટે કાવ્યાસ્વાદ નો રસથાળ છે અને તમને રૂબરૂ સંભાળવા એ જીવન નો લ્હાવો છે.
Dhanashriji,
I just listened to your two of the gazals. You voice and the lyrics were absorbing. It was wonderful.
Thanks,
virbala
Really very nice gazal and mam your voice is morvelouse…. mam really i dont have any words to express….. when i heard this gazal i had tears in my eyes… thanks mam…
from : Dhara