મૌન બોલે છે – આદિલ મન્સુરી
આદિલ મન્સુરી એટલે ગુજરાતી ગઝલને રૂઢીમાંથી બહાર કાઢી આધુનિકતાની આબોહવા અપાવનાર ગઝલકાર.. સાહસિક કવિ, પ્રયોગશીલ નાટ્યકાર, મીઠું બોલી કોઈને પણ પોતાના બનાવી શકવાની ક્ષમતા ધરાવતા ઉમદા માણસ. એમની વાણીમાં હાસ્ય અને ખૂણા વગરનો કટાક્ષ સાથે પ્રગટે. આદિલ સાહેબનો જન્મ ૧૮-૦૫-૧૯૩૬ ના રોજ અમદાવાદમાં થયેલો. મેટ્રિક સુધી ભણેલા આદિલ સાહેબનું મૂળ નામ તો છે ફરિદ મહમદ ગુલામ નબી મન્સુરી. વળાંક, પગરવ, સતત, આયનાનાં ઘરમાં, મળે ના મળે એ અમની ગઝલો અને કાવ્યનાં સંગ્રહો; ‘હાથ-પગ બંધાયેલા છે’ એમનો નાટ્યસંગ્રહ. આવા આ બહુમુખી પ્રતિભા ધરાવનાર સર્જક આજે આપણી વચ્ચે રહ્યા નથી અને ગુજરાતી ગઝલક્ષ્રેત્રે ન પૂરી શકાય એવી ખોટ પડી છે. શ્રી આદિલ મન્સુરીનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી ગઈકાલે ૬ નવેમ્બર ૨૦૦૮ નાં રોજ નિધન થયું છે. અલ્લાહ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી આપણા સૌ તરફથી પ્રાર્થના.
સતત લખતા રહેલા આદિલ સાહેબને પોતાની આગવી રીતે કવિતા પઠન કરતા સાંભળવા એ એક અનુભવ છે. એ જ્યારે પઠન કરે ત્યારે ખરેખર એમનાં ચિત્તની ગહેરાઈમાં રહેલું મૌન જાણે મુખર થઈને બોલી રહ્યું હોય એવો અનુભવ થાય. એટલે જ એ સહજ રીતે લખી ગયા..
“સમય પણ સાંભળે છે બે ધડી રોકાઈને ‘આદિલ’
જગતનાં મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.”
તો આવો આવા આપણી ભાષાનાં એક સમર્થ સર્જકને એમનાં પોતાની જ વાણીમાં સાંભળીએ અને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પીએ.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.
મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે,
શરમ ભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.
વસંતો કાન દઈને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.
ગરજતાં વાદળોનાં ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વિજળીનું મૌન બોલે છે.
ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દિવાનગીનું મૌન બોલે છે.
સમય પણ સાંભળે છે બે ધડી રોકાઈને ‘આદિલ’
જગતનાં મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
———————————————–
તેમની અન્ય ગઝલો રણકાર પર અહીં સાંભળી શકશો.
અમદાવાદના આદિલ ભાઈ ને સાદર અંજલી
તેમના અવસાનની તારીખ જણાવશો?
તમે જગને અલવીદા કહી પણ અમારા હ્રુદયમા તો તમારુ સ્થાન અમર છે જ.
આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી અને સત સત સ લા મ
મૃત્યુનું અમૃત મળે ના ત્યાં સુધી—આદરણીય આદિલ મન્સૂરીને શ્રધ્ધાંજલી
niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*
આદિલ્ ભાઈની ગઝલો વાચી છે,માણી છે અને ગાઈ છે. તેમની ગઝલ ‘દિલમા કોઇની યાદના પડઘા..નુ સ્વારાંકન સંગીતકાર મોહન બલસારાનું છે.
તેમનું નિધન સાહિત્ય જગત માટે મોટી ખોટ છે.
મને અત્યારે જ આ દુ:ખદ સમાચાર મળ્યા ને હ્ર્દય દ્રવી ઉઠ્યું…! અલ્લાહ એમની રૂહ ને જન્નત્ બક્ષે..!! એમ્ની દરેક રચના અનમોલ છ પણ નદીની રેતમાં… એ રચના હંમેશ મારા હ્ર્દયમાં રહી છે…! એમની ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં…!
“Ena sarikho koy kaabil nathi thavaano,
Shaayar thase hazaaro, Aadil nathi thavaano”
Alvida AADIL…
Hemant Nanavaty
Adil Mansuri wasy mild manner man and Gujarat has lost a very noble person. May God rest his soul in peace.
આદીલભાઈ નુ આમ અચાનક જવુ…આ અધુરપ ના ઓરતા શુ? ઓલખાન ના લામ્બા સમય મા તેમની સાથે અનેક વખત ચરચા કર્યા નુ ભાતુ એજ મારી મિરાત રહેશે. તેમના આત્મા ને પ્રભુ શાન્તી આપે.