Home > અદી મીરઝા, ગઝલ, બાપુભાઈ ગઢવી, મનહર ઉધાસ > સમયની આંધીઓ – અદી મીરઝા

સમયની આંધીઓ – અદી મીરઝા

September 3rd, 2008 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“તમને સમય નથી ને મારો સમય નથી.
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.”

– બાપુભાઈ ગઢવી

સમયની આંધીઓ એને ઝૂકાવે તો મને કહેજે,
કદી પણ સાચને જો આંચ આવે તો મને કહેજે.

શિખામણ આપનારા ચાલ મારી સાથે મયખાને,
તને પણ જિંદગી માફક ન આવે તો મને કહેજે.

મુસીબતમાં બધું ભૂલી ગયો છે માનવી આજે,
હવે એને ખુદા પણ યાદ આવે તો મને કહેજે.

જે તારા દોસ્તો તારા સુખોની નોંધ રાખે છે,
તને એ તારા દુ:ખમાં કામ આવે તો મને કહેજે.

Please follow and like us:
Pin Share
  1. kedar
    September 3rd, 2008 at 13:18 | #1

    ખૂબ સુન્દર ગ઼ઝલ અને ખુબ સરસ સંગીત.
    દરેકેદરેક શેર ચોટદાર છે.
    ખુબ સરસ.

  2. pragnaju
    September 3rd, 2008 at 22:52 | #2

    તમને સમય નથી ને મારો સમય નથી.
    કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.”
    – બાપુભાઈ ગઢવીનો સરસ શેર અને
    ચ.ગુ.માં જેમનો અવાજ હજુ ગુંજ્યા કરે છે
    તે માણતા આનંદ

  3. kailas
    September 12th, 2008 at 03:20 | #3

    સુન્દેર ગીતો. ગુજ્ર

  4. chandrakant
    July 1st, 2012 at 13:09 | #4

    અતિ સુંદર ગીત . સમય અને સંબંધ , સુંદર રીતે સત્ય હકીકત કહી /સંભળાવી ને મન ને હલકું કરી દે છે.

  1. No trackbacks yet.