મનના મેવાડમાં – સુરેશ દલાલ
સ્વરાંકન: આશિત દેસાઈ
સ્વર: હેમા દેસાઈ
મનના મેવાડમાં એક રાણો વસે છે ,
એ રાણાને અહીંથી ઉથાપો કોઈ;
મને મીરાંનું પાગલપન આપો કોઈ.
મને મેવાડી મહેલ હવે જોઈતા નથી,
હીરા-મોતીના હેલ હવે જોઈતા નથી.
મારા જ કરંડિયાને સાપ તો ડસે,
એ સાપને તો અહીંથી ઉથાપો કોઈ.
મને મીરાંનું વૃંદાવન આપો કોઈ.
હરિ આવનના અવાજને સાંભળ્યા કરું,
અહીં દિવસને રાત દીપ બળ્યા કરું.
નૈનન મેં નંદલાલ એવા શ્વાસે,
મને પ્રીતિ પુરાતન આપો કોઈ.
મને મીરાંનું વૈરાગન આપો કોઈ,
હવે સાંવરિયો મનભાવન સ્થાપો કોઈ.
Related posts:









નીરજભાઇ,
છેલ્લા અન્તરાની બીજી લીટીમા ‘બાળ્યા’ અને ત્રીજી લીટીમા ‘શ્વસે’ એ રીતે સુધારી લેશો.
હેમાબેને સરસ ગાયુ છે.
ખુબ સરસ .
જાણે મીરા બનીને મીરાના હૃદયમાંથી આવતી હોય તેવા શુદ્ધ ભાવથી કવિ પ્રાર્થના કરે છે.