હૈયું કદાચ આંખથી – અમર પાલનપુરી
સ્વર: જયેશ નાયક, સીમા ત્રિવેદી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હૈયું કદાચ આંખથી ઠલવાઈ જાય તો,
નિર્દોષ મારી પ્રેમ વગોવાઈ જાય તો.
વિસરી રહ્યો છું પાછલું સૌ એજ કારણે,
મારવાને બદલે જો કડી જીવી જાય તો.
એકાંતમાં તો આયનો પણ ના ખપે મને,
મારી જ સામે મારાથી રોવાઈ જાય તો.
શબ્દોના ભાવ મોં ઉપર રાખી લીધા ‘અમર’
આવે એ પેહલા આંખ જો મીંચાઈ જાય તો.
શબ્દોના ભાવ મોઁ પર રાખી લીધા..આવે એ પહેલા આઁખ મીઁચાઇ જાય તો… ખુબ જ સરસ શબ્દો !..
ખુબ જ સરસ ગઝલ!!!!
ગઝલ સાંભળી તેમાં આ બન્ને પંક્તિઓમાં જોડણીદોષ જેવું લાગ્યું. આમ ખરી રીતે જુઓ તો મારી જોડણી તો ખુબ જ ખરાબ છે.પણ ધ્યાન ઉપર આવ્યું એટલે આપને જણાવી દિધું.
હૈયું કદાચ આંખથી ઠલવાઈ જાય તો,
નિર્દોષ “મારો” પ્રેમ વગોવાઈ જાય તો.
વિસરી રહ્યો છું પાછલું સૌ એજ કારણે,
“મરવાને” બદલે જો કદી જીવી જાય તો.
મારા મિત્ર અને ફેમીલીના સંબંધી શ્રી અમરભાઈની રચના પહેલી વાર નવા સ્વરકારથી સાંભળવા મળી એટલે ખુબ આનદ થયો, સ્વરકાર અને ગાયકને અભિનદન, આપનો આભાર, એમનો “ઊઝરડા” પછીના ગઝલસન્ગ્રહ વિશે પરદેશમા હોવાથી ખબર નથી, જણાવશો તો આનદ થશે….
રણકાર મારું પ્રિય બનું છે.ખુબ ખુબ અભાર. આજ રીતે અમને એમાં તરબોળ રાખશો.માનીતા કવિઓનો જાણે સામે ઉભા રહી સંભાળીએ છીએ. વતનની યાદ અને જુના સંસ્મરણો તાજા થાય છે.કુર્યાત સદા મંગલમ.