સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: જયેશ નાયક
જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે
જહાંના નામની સાથે ફનાનું નામ આવે છે
હું ચિતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે
અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે
પ્રવેશીશું કઈ રીતે જલન દોઝખના કમરમાં
ગુન્હેગારો તરીકે અહીં બધાનું નામ આવે છે.
સ્વર: જયેશ નાયક, સીમા ત્રિવેદી
હૈયું કદાચ આંખથી ઠલવાઈ જાય તો,
નિર્દોષ મારી પ્રેમ વગોવાઈ જાય તો.
વિસરી રહ્યો છું પાછલું સૌ એજ કારણે,
મારવાને બદલે જો કડી જીવી જાય તો.
એકાંતમાં તો આયનો પણ ના ખપે મને,
મારી જ સામે મારાથી રોવાઈ જાય તો.
શબ્દોના ભાવ મોં ઉપર રાખી લીધા ‘અમર’
આવે એ પેહલા આંખ જો મીંચાઈ જાય તો.
સ્વર: જયેશ નાયક
રહેવા ન કોઈ સ્થાન હતું, કોણ માનશે?
તો પણ અમારું સ્થાન હતું, કોણ માનશે?
એણેય દીધું ઠોકરે મારા સ્વમાનને,
જેના ઉપર ગુમાન હતું, કોણ માનશે?
નૈયા અમારી ગર્ક થવા લાગી ત્યાં સુધી,
બીજે અમારું ધ્યાન હતું, કોણ માનશે?
લૂંટાયો તોયે કંઈ વ્હારે ન આવ્યું,
પડખે બધું જહાન હતું, કોણ માનશે?
મારા પતનની પેરવી કરતુતું એ ‘જલન’,
મારું જ ખાનદાન હતું, કોણ માનશે?
સ્વર: જયેશ નાયક, સીમા ત્રિવેદી
ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો,
અતિ વરસાદ કંઈ ખેડૂતને પ્યારો નથી હોતો.
તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સુર્યની સામે કડી તારો નથી હોતો.
જરી સમજી વિચારી લે પછી હંકાર હોડી ને,
મુહોબ્બતના સમંદરને કડી આરો નથી હોતો.
હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ એજ રસ્તો છે
ત્યજાયેલા પથિકનો કોઈ સથવારો નથી હોતો.
ઘણા એવાય તોફાનો ઉઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઈ અણસારો કે વર્તારો નથી હોતો.