હું મૌન રહીને – શયદા
સ્વરાંકન / સ્વર: નયન પંચોલી
હું મૌન રહીને એક અનાહત નાદ ગજવી જાણું છું,
ભાર નિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.
મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું,
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.
કોઈ ધરમ નથી ને કર્મ નથી, કોઈ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસત હું સહુ ભેદ બતાવી જાણું છું.
આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સહેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું.
Related posts:









VERY NICE AND TOUCHY
Very Touchy
વાહ….
સરસ,ખુમારીસભર ગઝલ લઈ આવ્યા છો મિત્ર!
બહુ ગમ્યું.
very very very tochy and nice
હૃદયસ્પર્શી ગઝલ તો ખરી જ પણ જે રીતે નયન પંચોલીએ આ ગઝલ મલાવી મલાવીને ગાઈ છે એ સાચે જ કાબિલે-તારીફ છે.. બે દિવસથી આ ગઝલ અવારનવાર સાંભળ્યા જ કરું છું અને તોય ધરવ થતો નથી…
વ જ ન દા ર ગ ઝ લ્……….