કોઈની બુદ્ધિના પાંજરામાં – પન્ના નાયક
પઠન: પન્ના નાયક
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી.
પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.
માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું,
માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું,
મને આવું પીગળવાનું મંજૂર નથી.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.
Related posts:









સુંદર મજાની કવિતા…
પઠન પણ ઉત્કૃષ્ટ…
કોઈપણ પરિસ્થિતિમાં આવું નીજત્વ જાળવી શકે તે માનવીને સલામ .આટલો સ્વસ્થ માણસ ઈશ્વરની નજીક ગણાય.
સરસ રચનાનું પ્રભાવશાળી પઠન.
ખુબ જ સરસ રચના.
પન્નાબેન ના કાવ્યો ખરેખર સરસ હોય છે.
મન ના ભાવો ને સુંદર રીતે કહી શક્યa છે.
મહિલા સ્વાતંત્ર્યવાદ/ સ્વેચ્છાતંત્રવાદની ચળવળ અને આંલોદન માટેનો પડકાર સરસ રીતે કરેલ છે.