ઓ વનવગડાના વણઝારા – અવિનાશ વ્યાસ
સ્વરાંકન: અવિનાશ વ્યાસ
સ્વર: અભરામ ભગત
ઓ વનવગડાના વણઝારા રે
જોને મારગ ચીંધે તને ગગનનાં તારા રે..
હેજી કાળી રાતનો માથે માંડવાનો ને
મારગ જે નોધારાં રે.. વણઝારા રે..
કંટક કેરી કેડી ખેડી તારે જાવું દૂરને દેશ
જડે જરી વિસામો વાતે, છે વિખરો તારો વેશ
એજી તારી ખેપમાં બાંધ્યા તેં તો
પાપ પુણ્યના ભારા રે.. વણઝારા રે..
તુજ પગથી પર ફૂલને પત્થર એ બે ઠેલા ખાય રે..
સુખ દુ:ખના ઓળા અમથા આવે એવા જાય
એજી તરસ્યા તનમન મૃગજળ દેખેને
અંગ બને અંગારા રે.. વણઝારા રે..
તારે મારગ મળે ન ભોમિયો ને ભૂલતો જાય પગથાર
હે જીવનભરનો જમા કરેલો તારે રે માથે તારો ભાર
હેજી જોઈ આવ્યો ઓલો ધરતીનો છેડો
તને કોણ કરે અણસારા રે.. વણઝારા રે..
Related posts:









સહજ ભજનને આર્દ્ર કંઠે ગાયું છે.
ખુબ સારું ગ \\\\\\\\\\\\\\\\\\\\\\\
khub saru geet chee.