મારા રામનાં રખવાળા ઓછા હોય નહીં – અવિનાશ વ્યાસ
મારા રામનાં રખવાળા ઓછા હોય નહીં,
એનાં ધાયેલા ધાવણમાં ધાબા હોય નહીં.
મારા રામનાં રખવાળા..
એનું ઢોલ અગમથી વાગે,
અગમ-નીગમની વાણી ભાખે,
એનાં આંખ્યુંના અણસારા ધોખા હોય નહીં.
મારા રામનાં રખવાળા..
કાયા જ્યારે કરવટ બદલે,
પડખાયે એ પગલે પગલે,
એની જ્યોતિ ઝબકારા ઓછા હોય નહીં.
મારા રામનાં રખવાળા..
સુખ દુ:ખનાં તડકા છાયાં,
માયમાં મુંઝાતી કાયા,
એનાં પાપણનાં પલકારા ઓછા હોય નહીં.
મારા રામનાં રખવાળા..
Related posts:









ખુબ સરસ ભજન છે.
please let us know the music composer and the name of the singer.
it is a beautiful song written by Avinashbhai, and well composed and sung by ——?
thanks for your recordings. we do enjoy all your work.
kharekahr sundar.
સ્વર :મન્ના ડે
સંગીત :અવિનાશ વ્યાસ
ફિલ્મ :‘ગાડાંનો બેલ’ (૧૯૫૦)
LISTEN AND READ AFTER SO MANY YEARS…REALLY ENJOYED