Home > અવિનાશ વ્યાસ, પ્રાર્થના-ભજન > મારા રામનાં રખવાળા ઓછા હોય નહીં – અવિનાશ વ્યાસ

મારા રામનાં રખવાળા ઓછા હોય નહીં – અવિનાશ વ્યાસ

January 29th, 2009 Leave a comment Go to comments

મારા રામનાં રખવાળા ઓછા હોય નહીં,
એનાં ધાયેલા ધાવણમાં ધાબા હોય નહીં.
મારા રામનાં રખવાળા..

એનું ઢોલ અગમથી વાગે,
અગમ-નીગમની વાણી ભાખે,
એનાં આંખ્યુંના અણસારા ધોખા હોય નહીં.
મારા રામનાં રખવાળા..

કાયા જ્યારે કરવટ બદલે,
પડખાયે એ પગલે પગલે,
એની જ્યોતિ ઝબકારા ઓછા હોય નહીં.
મારા રામનાં રખવાળા..

સુખ દુ:ખનાં તડકા છાયાં,
માયમાં મુંઝાતી કાયા,
એનાં પાપણનાં પલકારા ઓછા હોય નહીં.
મારા રામનાં રખવાળા..

Related posts:

  1. February 14th, 2009 at 14:25 | #1

    ખુબ સરસ ભજન છે.

  2. madhu dalal
    March 10th, 2009 at 11:09 | #2

    please let us know the music composer and the name of the singer.
    it is a beautiful song written by Avinashbhai, and well composed and sung by ——?

    thanks for your recordings. we do enjoy all your work.

  3. Chandra
    March 26th, 2009 at 13:46 | #3

    kharekahr sundar.

  4. April 3rd, 2009 at 08:40 | #4

    સ્વર :મન્ના ડે
    સંગીત :અવિનાશ વ્યાસ
    ફિલ્મ :‘ગાડાંનો બેલ’ (૧૯૫૦)

  5. RAXIT DAVE
    November 24th, 2009 at 15:35 | #5

    LISTEN AND READ AFTER SO MANY YEARS…REALLY ENJOYED

  1. No trackbacks yet.