ડંખે છે દિલને – મરીઝ
સ્વરાંકન / સ્વર: નયનેશ જાની
“મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં,
દિલમાંય માનવીના અહીં તો દિમાગ છે.
મહેંકી રહી છે એમની કલંક થઈને મહોબ્બત,
જીવનના વસ્ત્ર પર કોઈ અત્તરનો ડાઘ છે.”
ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
ઊર્મિ પૃથક પૃથક છે, કલા છે જુદી જુદી,
સઘળું કહી રહ્યો છું વિધિસર કહ્યા વિના.
કેવા જગતથી દાદ મેં માંગી પ્રકાશની,
હીરાને જે રહે નહીં પથ્થર કહ્યા વિના.
Related posts:









good composition .
ખુબ સુંદર ગઝલનું મનભાવન સ્વરાંકન !
છેલ્લો શે’ર અદભૂત છે!
સુધીર પટેલ.
સુંદર !!