Home > ગઝલ, જલન માતરી, પુરષોત્તમ ઉપાધ્યાય > તકદીર ખુદ ખુદાએ લખી – જલન માતરી

તકદીર ખુદ ખુદાએ લખી – જલન માતરી

સ્વરાંકન / સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
સારું થયું કે કોઈ આ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા,
કે મારવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવ શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

મૃત્યુની ઠેસની વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.

Related posts:

  1. July 13th, 2010 at 10:00 | #1

    ત્યાં સ્વર્ગ ના મળે તો … મારવાની કે મરવાની …શબ્દ આવે….?
    કુરાનમાં તો ક્યાંય પયમ્બર કે પયગંબરની સહી નથી….?

    કોઈ ભૂલ શોધવા કોશીશ નથી કરી, ખુબજ સારી રચના લાગી પરંતુ શબ્દમાં કશું ખૂટતું લાગતા ધ્યાન દોરવા કોશિશ કરેલ છે…

  2. July 13th, 2010 at 17:09 | #2

    જનાબ જલન માતરીસાહેબની, જેટલીવાર સાંભળીએ એટલીવાર દિલ બાગબાગ કરી ગઝલયતનો એક અનેરો આનંદ આપતી ખુમારીસભર ચીરયૌવના ગઝલ…..
    આભાર….રણકાર.

  3. Maheshchandra Naik
    July 13th, 2010 at 21:32 | #3

    સરસ ગઝલ વારવાર સાંભળવાની મઝા આવે, સરસ ગાયકી પણ આનદ આપી જાય છે આભાર……..

  4. July 15th, 2010 at 06:30 | #4

    Nice one…

  5. umesh paruthi
    August 1st, 2010 at 11:19 | #5

    મજા આવી ગઈ ….વાહ .વાહ.શું ગીત ……. શું ગાયકી …….

  6. Viraj
    July 6th, 2011 at 09:29 | #6

    Good One …. Amazing Words ….

  1. No trackbacks yet.