જેણે મને જગાડ્યો – સુરેશ દલાલ
સ્વરાંકન: આશિત દેસાઈ
સ્વર: આલાપ દેસાઈ
જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો?
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમ નો લાગો.
પંખીના ટહુકાથી મારા જાગી ઉઠ્યા કાન,
આંખોમાંતો સુર કિરણનું રમતું રહે તોફાન.
તમે મારા શ્વાસ શ્વાસમાં થઇ વાંસળી વાગો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમ નો લાગો.
ગઈ રાત તો વીતી ગઈ ને સવારની આ સુષ્મા,
વહેતી રહે છે હવા એમાં ભળી તમારી ઉષ્મા.
મારા પ્રિયતમ પ્રભુ મને નહીં અળગો આઘો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમ નો લાગો.
Related posts:









વાહ….
સુમધુર
શ્રી સુરેશ દલાલનું ભજન સરસ છે.
I’m mad for dis song !!
I’m used to listen, min. 4-5 times !!
and even soo today, too..
Not સુર in 4 line સૂર્ય કિરણ — તોફાન .
shu rachna chhe adbhut gayu chhe aalap bhai a rankaar ne dhnyavad aavu j sundar sambhlavta raho……..