મિત્રો,
આજે ૧૬ માર્ચ, રણકારનો જન્મદિવસ. આજે સૂર અને સંગીતની આ સફરનાં બે વર્ષ પૂરાં થયા. આ સફરમાં જે મિત્રોનો, રણકારનાં શ્રોતાઓ તથા વાચકોનો સાથ-સહકાર સાંપડ્યો છે તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌ વગર આ સફર આમ અવિરત રીતે ચલાવવી શક્ય નહોતી.
સ્વર: આરતિ મુન્શી, આશિત દેસાઈ
સ્વરાંકન: શ્યામલ-સૌમિલ મુન્શી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યા.
મસ્ત બેખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યા.
જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
ફૂલ ઉપર આ ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
સ્વર: આશિત દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે
મહાકાળીને જઇને કહેજો ગરબે રમે રે
પંખીડા.. ઓ પંખીડા..
ઓલ્યા ગામના સુથારી વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
સારા લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..
ઓલ્યા ગામનાં દોશીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડી ચૂંદડી લાવો રે
સારી લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..
ઓલ્યા ગામનાં મણીયારા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડો ચૂડલો લાવો રે
સારો લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..
ઓલ્યા ગામના સોનીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા ઝાંઝર લાવો રે
સારા લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..
ઓલ્યા ગામના કુંભારી વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડો ગરબા લાવો રે
સારો લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..
સ્વર: આશિત-હેમા દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના,
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ના લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના!
સ્વર: આશિત દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ,
પ્રસંગ નહીં તો મિલન ના જતા કરે કોઈ.
મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
તમારી પણ કદી એવી દશા કરે કોઈ.
ક્યાં એની પાસ જવાની થતી નથી ઇચ્છા,
મને ફરીથી જવાની મના કરે કોઈ.
ફના ગુનાહ કર્યા તો કર્યા છે મેં તારા,
મને આ માન્ય નથી કે સજા કરે કોઈ.
સ્વર: આશિત – હેમા દેસાઇ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો.
જે ગમે જગત..
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે.
જે ગમે જગત..
નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે.
જે ગમે જગત..
ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે.
જે ગમે જગત..
ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સુઝે.
જે ગમે જગત..
સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું.
જે ગમે જગત..
તાજેતરનાં અભિપ્રાયો